‘વંશ વારસા’ ની વિદાય વેળાએ એટલું જ કહેવુછે કે મારી અગાઉની નવલકથાઓની જેમ કેટલી સત્ય ઘટનાઓ તથા અમુક જીવંત પત્રોના આધારે તેનું કલેવર ઘડાયું છે. કલકતાના એક ઉદ્યોગપતિના મોટા પુત્ર અચાનક ઘરેથી ચાલ્યા ગયા પછી ઘણી તપાસ છતાં તેનો પતો ન લાગ્યો ત્યારે તેને પરલોકવાસી માની લઇ પત્નીએ દિયર સાથે લગ્ન કરી લીધા અને સગર્ભા બન્યા પછી પતિનું પુનરાગમન થયું એ સત્ય ઘટનાને ‘વંશ વરસ’ ની ધરી બનાવી, નવલકથા લખી છે.
Mehta was born in Mahuva near Bhavnagar, Gujarat on 25 May 1928. He completed his school education from M. N. Highschool in Mahuva.
He studied till inter Arts. He married on 10 February 1953 in Matunga, Mumbai.He served as an editor of Gujarati weekly, Chitralekha, from 1958 to 1998.
He died on 3 April 1998 in Mumbai following heart attack
ઘરમાં રેગ્યુલર ચિત્રલેખા આવતું જોઈને - વાંચીને મોટો થયો છું. પણ ક્યારેય ધારાવાહિક પર ધ્યાન નહોતું આપ્યું. એક એક પ્રકરણ માં વધતી વાર્તા જેટલી ધીરજ એ સમયે ક્યાં?
ફાઈનલી, મહેતા સાહેબ ને આ બુક થી વાંચવાના શરૂ કર્યા. અને, ઓ માય માય ! શું લખતાં આ માણસ ! એક નખશિખ સસ્પેન્સ થ્રીલર કે હોરર ન હોવા છતાં, વારતાપ્રવાહ એવા જકડી રાખે છે કે વાત ન પૂછો. સેંકડો એપિસોડસ માં ફેલાયેલી સોપ ઓપેરા તો પછી આવી આપણા દેશમાં, પણ એના માટે પ્લેટફોર્મ પૂરી પાડે એવી આ સ્ટોરી ! જબ્બર ટવીસ્ટ અને ટર્ન થી ભરપૂર. એક પણ પેજ તમને બોર ન કરે. અને ક્યાંય શાણી, ફિલોસોફી ની વાતો નહિ. ફક્ત અને ફક્ત કહાની.
અને હા, એવા પ્રસંગ પર આ ભાગ અટકાવ્યો છે, કે બીજા ભાગ ને તરત ન ઊંચકો, તો જ નવાઈ.