વંશ વારસ’ ની વિદાય વેળાએ એટલું જ કહેવુછે કે મારી અગાઉની નવલકથાઓની જેમ કેટલી સત્ય ઘટનાઓ તથા અમુક જીવંત પત્રોના આધારે તેનું કલેવર ઘડાયું છે. કલકતાના એક ઉદ્યોગપતિના મોટા પુત્ર અચાનક ઘરેથી ચાલ્યા ગયા પછી ઘણી તપાસ છતાં તેનો પતો ન લાગ્યો ત્યારે તેને પરલોકવાસી માની લઇ પત્નીએ દિયર સાથે લગ્ન કરી લીધા અને સગર્ભા બન્યા પછી પતિનું પુનરાગમન થયું એ સત્ય ઘટનાને ‘વંશ વરસ’ ની ધરી બનાવી, નવલકથા લખી છે
Mehta was born in Mahuva near Bhavnagar, Gujarat on 25 May 1928. He completed his school education from M. N. Highschool in Mahuva.
He studied till inter Arts. He married on 10 February 1953 in Matunga, Mumbai.He served as an editor of Gujarati weekly, Chitralekha, from 1958 to 1998.
He died on 3 April 1998 in Mumbai following heart attack
મજા પડે છે એક પછી એક વળાંકો લેતી વાર્તાનો બીજો ભાગ વાંચતા. હા, આ વખતે પ્લોટ થોડી વધુ ઊંડાણમાં ઉતારવા માંડ્યો છે. એટલે ઝડપ થોડી ધીમી તો થાય છે, પણ તમને સતત એંગેજડ રાખે છે મહેતા સાહેબ. નવા નવા પાત્રો અને નવા નવા રહસ્યોદ્ઘાટન, ઓવર ઓલ, એકદમ પ્રોમિસિંગ કથાનક.
પ્રસ્તાવનામાં મસ્ત વાત કહી છે લેખકે : "દરેક પાત્ર વાચકને જીવંત લાગે, પ્રત્યેક પ્રસંગમાં વાચક જકડાતા રહે અને સ્વાભાવિક છતાં અણધાર્યા વળાંક તેને સ્તબ્ધ બનાવી દે એવી શૈલી તથા વાંચતાં વાંચતાં વાચકની નજર સમક્ષ પ્રત્યેક દૃશ્ય આકાર લેતું જાય એવી રજૂઆત મારી વિશિષ્ટતા રહી છે...તો વધુ પડતુ વર્ણનાત્મક નહીં લખી શકવાની સંવાદોમાં વધુ પડતી વાચાળતા નહીં લાવવાની અથવા દરેક વાતમાં ઝીણું નહીં કાંતવાની મારી મર્યાદા પણ રહી છે.
સાચે, જો આવી અસ્ખલિત રીતે ચાલતી વાર્તા હોય ત્યારે ઝીણું કાંતેલું વાંચવું અવરોધ સમું લાગતું હોય છે.