નમસ્તે વાચકમિત્રો, હું કોઈ પણ નવલકથા કે ટૂંકી વાર્તાઓને વાર્તા કહેવા કરતાં પણ "વાર્તાવિશ્વ" કહેવડાવાનું જ વધુ પસંદ કરીશ. મારા માટે તો દરેક વાર્તાનો સર્જક એક નવા જ વિશ્વનું નિર્માણ કરતો હોય છે, જેમાં વાચકોને મ્હાલવાનો અનેરો લ્હાવો મળતો હોય છે. એ વાર્તાવિશ્વોની સફરમાં ઘણીવાર ખુશ કે આનંદિત થવાતું હોય છે, તો ક્યારેક જીવનને મનભરીને માણવાનું એક કારણ પણ આવા વાર્તાવિશ્વોમાં જ મળી જતું હોય છે. આવા અમુક વાર્તાવિશ્વો ક્યારેક આપણા જીવનને ધરમૂળથી બદલાવી નાખવા માટે પણ કારણભૂત બની જતાં હોય છે.
આપણામાંથી મોટાભાગના લોકો વાર્તાઓ સાંભળીને કે વાંચીને મોટાં થયા છે. એ વાર્તાઓ જ છે, જેણે આપણાં માનસિક ઘડતરમાં ઘણો ફાળો આપ્યો છે. ઘણાં વર્ષોથી લોકકથાઓ, બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, પરીકથાઓ, &