ભારતીય યુવા વૈજ્ઞાનિક સૂર્યા મૃત્યુને ઘણું દૂર ઠેલવીને માનવીને "અ-નશ્વર" બનાવવાનું તથા "સુખ"ને નિરંતર ટકાવવા માટે એક રસી બનાવવાનું નક્કી કરે છે. એ બંને શોધ એના જીવનમાં અનેક ભયાનક વળાંકો લાવે છે. સ્વાર્થી લોકોથી એ શોધને તથા પોતાની જાતને પણ બચાવવા માટે લડાઈ લડવાની સાથે-સાથે શોધને સાબિત કરવા માટે ખુદની જાત સાથે પણ લડાઈ લડવાની આવે છે. શું સૂર્યા બંને શોધ સાબિત કરી શકશે? સ્વાર્થી લોકોથી પોતાની બંને શોધ બચાવવામાં શું એ સફળ થઈ શકશે? શું એ બંને શોધ માનવીઓ માટે ખરેખર લાભદાયી સાબિત થશે?
પહેલેથી છેલ્લે સુધી જકડી રાખે એવી એકદમ રસપ્રદ શૈલીમાં રહસ્ય-રોમાંચથી ભરપૂર, જબરદસ્ત થ્રિલરભર્યા વાર્તાવિશ્વ "અ-નશ્વરતા"માં આપનું હાર્દિક સ્વાગત છે. વાચકમિત્રોને ખાસ જણાવવાનું કે, પ્રસ્તુત નવલક