મિત્રો સાથેની મસ્તી-મસ્તીમાં વાર્તાના નાયકના જીવનમાં એક ગંભીર ઘટના ઘટી જાય છે, જેના પરિણામ સ્વરુપે એને એક આશ્રમમાં જઈને વડીલોની સેવા કરવાની સજા મળે છે. વાર્તાના નાયક માટે એ સજા ભયંકર હોય છે, કેમ કે એને મોટી ઉંમરનાં વડીલો સાથે પહેલેથી જ છત્રીસનો આંકડો હોય છે. વાર્તાના નાયકને અમુક વ્યક્તિઓ દ્વારા પત્રો તથા અમુક પ્રકારના પાર્સલ પોસ્ટ કરવાનું કહેવામાં આવે છે. બસ, એ જ ઘડીથી વાર્તાના નાયકની જિંદગીની સાથે-સાથે કેટલાયે લોકોની જિંદગી ધરમૂળથી જ બદલાઈ જાય છે, સૌના જીવનમાં જબરદસ્ત ઉથલપાથલ મચી જાય છે અને આખી વાર્તા રસપ્રદ બનતી જાય છે. આમ તો આજની આધુનિક દુનિયામાં જ્યાં કોઈને પોતાની વાત કરવા માટે ફોન કરી લેવો, મેસેજીસ કે પછી ઈ-મેઈલ જેવી ઝડપી સર્વિસ ઉપલબ્ધ છે, ત્યાં કાગળમાં પોતાની વાત લખીન&#