પ્રત્યેક વ્યક્તિનું જીવન એક શતરંજ છે . સંજોગો અનુસાર વ્યક્તિનું નસીબ કયારેક એને બે ડગલાં આગળ ચલાવે છે તો કયારેક બે ડગલાં પાછળ ....ધારેલું થતું નથી અને અણધારેલું થઈ જાય છે ...વ્યક્તિ કયારેક ધાર્યા કરતાં સારી પરિસ્થિતિમાં મૂકાય છે તો કયારેક ન ધારી હોય એટલી ખરાબ સ્થિતિમાં આવી જાય છે . એવા જીવનનાં ચઢાવ- ઉતારની કથા કહેતી લઘુનવલ એટલે જ... જીવતા મોહરા શતરંજના...