લેખક એક બહુમુખી પ્રતિભા છે તેમ પ્રસ્તાવના વાંચીને જાણ્યું અને જાણીને તેમના વિષે માન થયા વગર ન રહ્યું.
ઓછા માં ઓછાં ત્રણ દ્રશ્યો સાવ જ વિસંગત રીતે વાર્તામાં ઉપસી આવે છે. મારાં મતે સર્જનની ઉતાવળ શબ્દોમાં પ્રત્યક્ષ સ્વરૂપે દેખાય છે. જીવનની ઉજ્જવળ બાજુને પ્રકાશમાં લાવવા માટે જ કદાચ આ કૃતિમાં કરુણતા ભારોભાર કંડારેલી છે.
એક વાંચક તરીકે છેક સુધી જકડી ન રાખે તેવી અવિશેષ વાર્તાને આપવા પડે તેમ જ હોય તો હું લેખનના પ્રયત્નને બે તારક આપી શકું.