પાંદડું ખરી પડે પછી સડે છે, પુષ્પ ખરી પડે પછી સડે છે, પરંતુ માણસ સડી જાય પછી ખરે છે. આવું શા પાંદડું ખરી પડે પછી માટે ? હે પ્રભુ ! સ્ર્વજનો મારી દયા ખાય તે પહેલાં તું એક દયા કરજે।. જીવનને સમજવામાં હું ભલે મોડો પડ્યો પરંતુ મૃત્યુને પામવામાં હું મોડો ન પડું એટલી કૃપા કરજે. સાંજ પડે અને સૂરજ આથમી જાય એમ હું આથમી જવા ઈચ્છું છું. હું સડી જાઉં તે પહેલાં ખરી પડવા ઈચ્છું છું.