Nimit Oza Quotes

Quotes tagged as "nimit-oza" Showing 1-30 of 49
“આપણે ગમ્મે તેટલા સાચા હોઈએ, કેટલીક લડાઈઓ જીતવી નિરર્થક હોય છે. જેમને અજ્ઞાનતામાં અજવાળું દેખાતું હોય, એમની પાસે જ્ઞાનની વાતો કરવી મૂર્ખામી છે. જેઓ પોતાની અજ્ઞાનતાને વફાદાર હોય, એમની સામે જ્ઞાનનું પ્રદર્શન ક્યારેય ન કરવું.”
Dr. Nimit Oza

“અન્યની દરેક નાની ભૂલને બ્રોડકાસ્ટ કરવી કે સુધારવી જરૂરી નથી હોતી. નાની નાની બાબતોની ફરિયાદ ન કરવી, એ પણ એક એપ્રિસિએશન છે. કોઈની કદર કરવા માટે દર વખતે પ્રશંસા કરવી જરૂરી નથી હોતી. એમની નાની અને માનવ સહજ ક્ષતિઓ ઈગ્નોર કરીને પણ આપણે તેમની કદર કરી શકીએ છીએ.”
Dr. Nimit Oza

“તમે તમારા જીવનમાં મસ્ત અને સંતુષ્ટ હો, એ વાત જગતને સૌથી વધારે ખૂંચે છે. વધુ પડતી આત્મ-નિર્ભરતા ક્યારેક ઈર્ષાનું કારણ બની જાય છે. જો તમે કોઈને નડતા કે કનડતા નથી, તો તમારું એ નિર્લેપપણું સમાજને ખૂંચ્યા કરશે. તમારી આસક્તિ સમાજની આવશ્યક્તા છે. અને એટલે જ તમારી અનાસક્તિ એમના માટે અસહ્ય હોય છે.”
Dr. Nimit Oza

“સુંદરતા ધ્યાન આકર્ષી શકે, આદર નહીં. આ સૌંદર્યની કરુણતા છે. સુંદર લોકો માટે આ જગત થોડું વધારે કપરું હોય છે કારણકે લોકો જ્યારે તમને અયોગ્ય કારણસર ચાહવા લાગે ત્યારે એમાંથી કોઈની પસંદગી કરવી મુશ્કેલ હોય છે. કમનસીબે કેટલીક સુંદર સ્ત્રીઓને લોકો માણસ તરીકે નહીં, ટ્રોફી તરીકે જુએ છે. એક એવો એવોર્ડ કે વિજય ચિહ્ન જે ચાહવાની નહીં, પામવાની બાબત હોય.”
Dr. Nimit Oza

“જે લોકો આપણી પ્રાર્થનાસભામાં પણ બે મિનીટની હાજરી આપવાના હોય, એમના અભિપ્રાયોને કેટલુંક મહત્વ આપવાનું ? આપણી પ્રાર્થનાસભામાં જે લોકો આપણા ફોટાની સામે નહીં, ફોટાની બાજુમાં બેઠા હશે, બસ એ જ અત્યારે મહત્વના છે.”
Dr. Nimit Oza

“નિરક્ષર પાસે રહેવાથી જ્ઞાનકોશનું મહત્વ ઘટતું નથી. કેટલાક લોકોને દરેકની કિંમત ખબર હોય છે, પણ મૂલ્ય ખબર નથી હોતું. જો કોઈ તમને વાંચી કે સમજી નથી શકતું, તો એ એમની નિરક્ષરતા છે. એમના ‘કલર બ્લાઇન્ડ’ હોવાથી આપણા રંગો ઓછા નથી થવાના. જો કોઈ આપણી પ્રતિભા, સારપ, કે સફળતાની કદર નથી કરતું, તો એની ફરિયાદ શું કરવાની ? કોઈની પ્રશંસા, કદર, કે સમર્થનનું મહોતાજ હોય, એવું તેજ શું કામનું ? જેઓ ઈર્ષા, અજ્ઞાન, કે પૂર્વગ્રહોથી બળતા હોય, તેમને દીવાનો પ્રકાશ પણ દઝાડશે જ. એમની ચિંતા કર્યા વગર, ચમક્યા કરો.”
Dr. Nimit Oza

“દરેક વખતે આપણી જ ભૂલ હોય એવું જરૂરી નથી. ક્યારેક ભૂલમાં આપણે આવી ગયા હોઈએ છીએ. કશું જ ખોટું ન કર્યું હોવા છતાં ક્યારેક યાતના ભોગવવી પડે છે. અકારણ મળેલી સજા જીવનનું મુખ્ય લક્ષણ છે. કારણકે લાઈફ ઈઝ અનફેર.”
Dr. Nimit Oza

“કેટલા માર્ક્સ આવ્યા ?’ પૂછનારો મિત્ર હંમેશા સ્ટ્રેસ આપે છે. ઓનેસ્ટલી, તે મને મિત્ર ઓછો અને હરિફ વધારે લાગે છે. મિત્ર તો એવો હોવો જોઈએ જે પૂછે, ‘સ્કોર શું થયો ?”
Dr. Nimit Oza

“Most of our problems are the signs of an underlying common fear — being left alone with ourselves.”
Dr. Nimit Oza

“Freedom begins when you stop begging to be understood. People don’t owe you understanding—And that’s your greatest liberation.”
Dr. Nimit Oza

“If someone doesn’t want to understand you,
no amount of explaining will change that.
Don’t write a thesis where a full stop will do.”
Dr. Nimit Oza

“જ્યારે આપણે સૌથી વધારે અનિશ્ચિતતા અને ડર અનુભવીએ છીએ, ત્યારે આ યુનિવર્સ સૌથી વધારે નિશ્ચિત અને નિશ્ચિંત હોય છે.”
Dr. Nimit Oza

“You’re not here to impress. You’re here to exist. And that’s more than sufficient.”
Dr. Nimit Oza

“You weren’t too much. They were just emotionally underqualified."
— Dr. Nimit Oza”
Dr. Nimit Oza

“You won’t find peace by fixing everything around you. Sometimes, peace is choosing not to react.”
Dr. Nimit Oza

“બધું ઠીક નહીં થાય એ સમજી લેવું, એ પણ ઠીક થઈ જવાની એક રીત છે.”
Dr. Nimit Oza

“Part of healing is knowing that not everything needs to heal completely.”
Dr. Nimit Oza

“વિનમ્ર રહેવાથી ઘણી ઓછી ઊર્જા ખર્ચાય છે. ન દલીલો, ન દેખાડો. ન કશાયનો દાવો, ન કશાયનો દમ. ન કોઈને પ્રભાવિત કરવાની ચિંતા, ન ‘હું કંઈક છું’ એવો ભ્રમ. કશું જ સાબિત કર્યા વિના જેવા છીએ એવા રહી શકીએ, તો નાહકના થાકમાંથી બચી શકીએ. વ્યક્તિગત ઊર્જા સંરક્ષણ માટે વિનમ્રતા અનિવાર્ય છે.”
Dr. Nimit Oza

“જાતમાં પુનર્વસન કરી શકાય, એ માટે યુનિવર્સ ક્યારેક આપણને એકલા પાડી દેતું હોય છે. મિથ્યા મિત્રતા, નાહક અવાજો, અને કૃત્રિમ લોકોથી દૂર લઈ જાય છે, જેથી આપણી મુલાકાત આપણી મૂળ પ્રકૃતિ સાથે થઈ શકે. લોકોનું દૂર ચાલ્યા જવું એ સજા નહીં, જાતમાં પાછા ફરવાની તક હોય છે.”
Dr. Nimit Oza

“Sometimes the universe isolates you just enough to help you return to yourself”
Dr. Nimit Oza

“દલીલો જીતવામાં ઊર્જા ખર્ચવાને બદલે ‘ઓકે’, ‘ભલે’, ‘અચ્છા’, કે ‘સારું’ કહીને ચુપ થઈ જવું એ પરિપક્વતાનું પ્રમાણ છે. બિનજરૂરી ચર્ચા ટૂંકાવી શકવી એ દુર્લભ પ્રતિભા છે. સંમતિ જ ક્યારેક શાંતિપ્રિય લોકોનું સૌથી અહિંસક હથિયાર હોય છે.”
Dr. Nimit Oza

“માનસિક શાંતિ બહુ ખર્ચાળ હોય છે. એ મેળવવા માટે દલીલો જીતવાનો આગ્રહ, સાચા હોવાની જીદ અને અહમ ખર્ચી નાંખવો પડે છે.”
Dr. Nimit Oza

“Sometimes, the weight you’re trying to lose isn’t on your body — it’s on your mind.”
Dr. Nimit Oza

“પરિચિત થઈ જવાનો અર્થ પ્રેમ નથી થતો. થોડા સમય પછી તો પિંજરું પણ પરિચિત લાગે છે.”
Dr. Nimit Oza

“ભાવશૂન્ય લોકો માટે આપણે કાયમ સેન્સીટીવ જ રહેવાના. આપણે ક્યારેય વધુ પડતા લાગણીશીલ નથી હોતા. બસ, ક્યારેક એવા લોકોથી ઘેરાયેલા હોઈએ છીએ જેમને માટે લાગણીશૂન્યતા નોર્મલ છે.”
Dr. Nimit Oza

“કેટલાક લોકોના મનમાં રહેલી આપણી છબી, આપણે ક્યારેય બદલી શકવાના નથી.
જે લોકોને પોતાની ગેરમાન્યતાઓ ઉછેરવી હોય, એમની સામે આપણી દરેક સ્પષ્ટતા નકામી છે. આપણા વિશે ફેલાયેલી કેટલીક ગેરસમજણો
દૂર ન કરવામાં જ શાંતિ રહેલી છે.”
Dr. Nimit Oza

“આત્મ-સુધારની જાણ એમને જ કરવાની હોય, જેઓ આપણા માટે મહત્વના હોય. આપણી વ્યક્તિગત ઉન્નતિના દર્શન અમૂક ખાસ લોકો જ કરી શકે. આપણી પ્રગતિ, પરિપક્વતા અને પરિવર્તન વિશે દરેકને જાણ કરવી નિરર્થક છે.”
Dr. Nimit Oza

“દરેક વખતે આપણે મૂવ-ઓન નથી થતાં. ક્યારેક ટ્રાન્સફોર્મ થઈએ છીએ. ઘટનાસ્થળથી દૂર જવાને બદલે, આપણી એ જાતથી દૂર ચાલ્યા જઈએ છીએ જેણે દુર્ઘટના સર્જેલી. કેટલાક લોકો મૂવ-ઓન કર્યા પછી પણ બદલાતા નથી અને કેટલાકને મૂવ-ઓન કરવા માટે બદલાવું છે. માત્ર સમય નહીં, વ્યક્તિ પણ બદલાય, ત્યારે હાર્ટ-બ્રેક થયું સાર્થક કહેવાય.”
Dr. Nimit Oza

“આખું જગત તમને દોડાવતું રહેશે. ફક્ત કલા તમને અટકી જવાનું કહેશે. દરેક જણ ઉતાવળ કરાવશે. ફક્ત સાહિત્ય તમને ધીરજ રાખવાનું કહેશે. સંગીત તમને નિરાંત શીખવાડશે. પુસ્તકો કહેશે કે ‘ટેક યોર ટાઈમ. કોઈ જલ્દી નથી.’ જો જગત અને કલામાંથી કોઈ એકની પસંદગી કરવી પડે, તો હંમેશા કલાની વાત સાંભળજો.”
Dr. Nimit Oza

“તોછડા, કડવા, કે ચિડાયેલા લોકોનું ખરાબ ન લગાડવું. જેમને કોઈ પ્રેમ નથી કરતું, તેઓ કડવાશથી છલકાતા રહે છે. તેમની અકળામણ અને ફરિયાદ પ્રેમના અભાવ વિશે હોય છે. તેઓ જાત અને જીવનથી નાખુશ હોય છે. તેમનો અણગમો આપણા પ્રત્યે નહીં, પ્રેમથી વંચિત રહી ગયેલી જાત પ્રત્યે હોય છે.”
Dr. Nimit Oza

« previous 1