‘૦૯માં જયારે અમારું ઘર તૈયાર થઇ રહ્યું હતું ત્યારે રસોડામાં સ્ટોર હોવો જોઈએ કે નહિ તે વિશે ચર્ચા વિચારણા થઇ હતી. પછી નિર્ણય લેવાયો કે સ્ટોરની જરૂર નથી. જે જોઈએ, જયારે જોઈએ, ત્યારે મળી રહે છે ને! તો સ્ટોરની જગ્યાએ પ્રભુને સ્થાપિત કર્યા.
પછી ૨૦૧૭માં જયારે મેં કાયમી લેખક થવાનો નિર્ણય લીધો તો ઘરની આવક સ્વાભાવિકપણે ઓછી થઇ ગઈ, જેથી વધારે બચત કરવાં અમે લોકો અનાજ સંગ્રહ માટે ૭-૭ કિલોના ડબ્બા લઇ આવ્યાં ઘઉં, ચોખા ને દાળ માટે, હોલસેલમાં થોડી બચત થાય ને! સંગ્રહ વધવાથી પછી ધનેરાં પણ જોવાં મળ્યાં, એટલે પછ...
Published on January 22, 2023 04:06