“મનોમન ચાલતા આ સંવાદમાં કૃષ્ણ પોતાની જ જાતને કહી રહ્યા હતા જાણે, “પ્રતીક્ષા વ્યર્થ છે... રોજેરોજ પળેપળ કશાની પ્રતીક્ષામાં જીવવું એ જીવન નથી, ઝંખના છે. કશું પામવા, કશું મેળવવા માટે જીવતા જવું, એને બદલે... માત્ર જે આવે તેને સ્વીકારીને શ્વાસને જીવન માનીને શ્વસતા જવું એ વધુ જીવનપૂર્ણ છે, એ વધુ સત્ય છે, અને આ મારાથી વધુ કોણ જાણે છે? જે રોજ આજે એટલા માટે જીવે છે કે કાલ કંઈક થશે, કાલે પણ એટલા માટે જીવશે કે પરમ દિવસે કંઈક થશે, જે રોજેરોજ, આજે કાલને માટે જીવશે એ કદી જીવી નહીં શકે, કારણ કે જ્યારે આવશે ત્યારે આજ આવશે, અને જીવવું તેનું સદા કાલે હશે. કાલે પણ એમ જ થશે, પરમ દિવસે પણ એમ જ થશે, કારણ કે જ્યારે પણ સમય આવશે, એ આજની રીતે આવશે અને આ માણસ પાશમાં બંધાયેલા પશુની જેમ ભવિષ્ય દ્વારા ખેંચાયેલો કાલમાં જીવશે. એ કદી જીવી નહીં શકે. એની આખી જિંદગી અણજીવી — સાચા અર્થમાં જીવ્યા વગર વીતી જશે.”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“સખા! હું... હું... પાંચાલી, દ્રૌપદી, દ્રુપદપુત્રી, પાંડવપત્ની, કુરુકુળની વધૂ તમને મારા સ્નેહમાંથી, મારા મોહમાંથી, મારા ઉત્તરદાયિત્વમાંથી મુક્ત કરું છું અને સાથે જ હું પણ મુક્ત થાઉં છું.” રૂંધાયેલા ગળે એણે હવે કહ્યું, त्वदियम वस्तु गोविन्द तुभ्यमेव समर्प्यते । આ વખતે કહેવાયેલા આ વાક્યમાં જાણે ખણખણિત સત્ય હતું. હિરણ્ય, કપિલા અને ત્રિવેણીસંગમની દસેય દિશાઓમાંથી આ વાક્ય ફરી-ફરીને, ફરી-ફરીને પડઘાતું રહ્યું. ...અને કૃષ્ણે શાંતિથી આંખો મીંચી દીધી.”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“જેને જ્યારે જોઈએ ત્યારે કૃષ્ણ મળી રહે, એ જ મારા અસ્તિત્વનો અર્થ છે,”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“હું તો અહીં જ છું. અહીં જ રહેવાનો છું... અવર-જવર તો આપણા મનની હોય છે પ્રિયે. બાકી, આવવું અને જવું એવી કોઈ પ્રક્રિયા હોતી જ નથી. હોય છે માત્ર એક બિંદુથી બીજા બિંદુનો સમયગાળો અને આ બે બિંદુની વચ્ચે ક્યાંક આપણું અસ્તિત્વ. આ ક્ષણે હું અને તું એકબીજામાં પરોવાયેલાં બેઠાં છીએ. આ ક્ષણનું સત્ય એટલું જ છે. ગઈ તે ક્ષણ અને આવનારી ક્ષણ — બે એવાં બિંદુ છે, જ્યાંથી આપણે આવ્યાં છીએ અને જે તરફ જઈ રહ્યાં છીએ. પ્રત્યેક ક્ષણ પ્રસ્થાનની ક્ષણ છે પ્રિયે. પ્રસ્થાન નિશ્ચિત છે. માત્ર ક્યારે? એ પ્રશ્નનો જ ઉત્તર નથી હોતો આપણી પાસે. અને એ ઉત્તર નથી એટલે જ બે બિંદુ વચ્ચેની આ યાત્રા આટલી રસપ્રદ છે, આટલી ગમતી છે, સમજી?”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
“સ્ત્રીનું દુ:ખ એ છે કે એનો પ્રેમ માત્ર અર્પણનો પ્રેમ હોય છે. કશુંય માંગ્યા વિના માત્ર આપતી, આપ્યા કરતી સ્ત્રીને પણ જવાબો આપવા પડતા હોય છે! બેટા, આ સમાજમાં પ્રેમી પતિ હોય એ જરૂરી નથી, વધારે દુ:ખની વાત તો એ છે કે પતિ પણ પ્રેમી નથી હોતો.”
― કૃષ્ણાયન
― કૃષ્ણાયન
Underground Knowledge — A discussion group
— 24911 members
— last activity Mar 02, 2026 03:08PM
This global discussion group has been designed to encourage debates about important and underreported issues of our era. All you need is an enquiring ...more
Indian Readers
— 17561 members
— last activity 13 hours, 32 min ago
"For Indians /non Indians/Earthlings/Aliens, who have a zeal to read and are passionate about books" says the Creator of this group :) To add to it, ...more
Mumbai Bookworms
— 791 members
— last activity Mar 03, 2026 07:58PM
Calling on all the closet bookworm denizens of Mumbai who like to engage in pretty much anything dealing with a book - read, write, review, discuss - ...more
Yash Mehta’s 2025 Year in Books
Take a look at Yash Mehta’s Year in Books, including some fun facts about their reading.
More friends…
Polls voted on by Yash Mehta
Lists liked by Yash Mehta




























